ભાગવત કથા માનવ માત્રની વ્યથા દુર કરે છે, કલયુગમાં સાક્ષાત ભગવાને ઋષિઓને ભાગવતનો ઉપદેશ આપ્યો હતો: ભાગવત કથાના શ્રોતા પણ ભગવાન છે
કલયુગમાં પરમાત્માની પ્રાપ્તિનો એક જ ઉપાય ભાગવત શાસ્ત્ર છે, સૌથી શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત કહી શકાય, જુના જમાનામાં સાક્ષાત ભગવાને પણ ઋષિઓને ભાગવતનો સંદેશ આપ્યો હતો, મનુષ્ય માટે પાર થવા શું ઉપાય છે તેવો પ્રશ્ર્ન થાય છે ત્યારે શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ સાધન કહી શકાય તેમ દ્વારકાપીઠના શંકરાચાર્યજી પૂ.સદાનંદ સરસ્વતીજી મહારાજે એક સંદેશ આપતા જણાવ્યું હતું.
શહેરમાં સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મીત્ર મંડળ દ્વારા ચાલી રહેલી ભાગવત સપ્તાહ અંગે બોલતા પૂ.શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, ભાગવત બધામાં શ્રેષ્ઠ છે, એ જ ઉપદેશ રાજા પરીક્ષીતને પણ આપવામાં આવ્યો હતો, સુધજા મહારાજે ભાગવત અંગેનો ઉપયોગ આપ્યો હતો, ભાગવત કથાના શ્રોતા પણ ભગવાન છે, એ ભકતોના કલ્યાણનું પુરાણ છે, જેમાં પ્રાણી માત્રના કલ્યાણનો પણ ઉલ્લેખ કરાયો છે, આ ભાગવત સપ્તાહના યજમાન પરીવાર સત્કર્મ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ મીત્ર મંડળ તેમજ જલસા ગ્રુપ આ બધા ભગવાન દ્વારકાધીશના આશિર્વાદને પાત્ર છે, પરમાત્મા આ બધા ઉપર કૃપા કરે તેવી મારી શુભકામના છે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech