ભગવાન શંકરના સૌથી પ્રિય ગણાતા શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવના દર્શન કરવા અને જળાભિષેક કરવા માટે ભક્તો વિવિધ યુક્તિઓ અપનાવે છે. આ દરમિયાન મુઝફ્ફરપુરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે.
શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન કરવા અને જળાભિષેક કરવા ભક્તો કતારોમાં ઉભા હતા. તે દરમિયાન ત્યાં પહોંચેલા યુવકે પહેલા જળાભિષેક કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન પૂજારીને પણ હેરાન કરવાનો પ્રયાસ હતો. યુવક પોતે IPS અધિકારી હોવાનો દાવો કરીને તે પૂજારીને જળાભિષેક કરવા કહ્યું. પરંતુ યુવકની હરકતો જોઈને પૂજારીને શંકા ગઈ હતી. પૂજારીએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવકની પૂછપરછ કરતાં તેનો અસલી ચહેરો સામે આવ્યો હતો.
મુઝફ્ફરપુરના પોલીસ અધ્યક્ષકે કહ્યું કે, આરોપી પાસેથી એવું કંઈ મળ્યું નથી કે જેના પર IAS અધિકારી કે કોઈ પોસ્ટ લખવામાં આવી હોય. યુવકને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે મંદિરના પૂજારી અને પોલીસની માફી માંગવાનું શરૂ કર્યું. યુવકે પોતાની ભૂલ કબૂલ કર્યા બાદ પીઆર બોન્ડ ભર્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા : ગોમતી ઘાટ પર 6 લોકો નાહવા પડતા ડૂબ્યા.
June 05, 2025 05:00 PMઅલંગ આવી રહેલી બંધ ટગે દુબઇથી ૩૦૦ માઇલ દૂર લીધી જળ સમાધી
June 05, 2025 04:47 PMયુવાન સાથે કુંવારી તરીકે પરણ્યા બાદ યુવતીએ કહ્યું ’મારે બે સંતાનો છે’
June 05, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech