તળાજા પંથકમા લૂંટરી દુલ્હન ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી ધામાં નાખ્યા છે. તેનો મુખ્ય સૂત્રધાર હાલ ટીમાણા ગામે રહીને જાળ પાથરે છે. દિવાળી બાદ આ ટોળકી વધુ સક્રિય થઈ છે ને અનેકને અડધા લાખથી લઈને દોઢ લાખ સુધી રકમ લઈ થોડા દિવસ લગ્ન સંબંધ યુવાન સાથે રાખીને કોઈના કોઈ બહાને યુવતી રફુચક્કર થઈ જાય છે.
લૂંટરી દુલ્હન ટોળકીનો ભોગ તળાજાના એક દુકાનદાર પરિવાર બન્યો છે. સરતાનપર રોડ પર રહેતા દુકાનદાર નાજ શબ્દોમાં કહીએ તો ટીમાણા ગામે રહેતો સંજય નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર છે. તેમની સાથે અશ્વિની દીદી જેને માયા તરીકે પણ ઓળખે છે તે બંને મળીને સ્ત્રી પાત્રના જરૂરીયાત મંદ સમક્ષ માયા રચીને યુવતી બહાર થી બોલાવી યુવાન સાથે ફુલહાર કરાવીને લગ્ન જીવનની શરૂઆત કરાવે છે. દુકાનદારે ઉમેયું હતું કે પોતાના દીકરા માટે જે યુવતી પસંદ કરી હતી તે સમયે કુંવારી હોવાનું કહ્યું હતું. થોડા દિવસો જતા યુવતીએ પોતે બે પુત્રીઓની માતા હોવાનું જણાવ્યું હતુ. બાદ જતી રહી હતી. દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું કહ્યું હતું. આ મામલે તળાજા પોલીસને ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવાના બદલે છોકરી તમારી સામે કેસ કરશે તેવું જમાવીને બેઠીઘડ વાળી લીધીનો પોલીસનો કડવો અનુભવ જણાવ્યો હતો. બાદ આજ યુવતીને ગોરખી ગામે વિક્રમ નામના યુવાન સાથે દોઢેક લાખ લઈને પરણવી હતી. અને બાદમાં ભાવનગર ખબર કાઢવા જવાના બહાને યુવતી મોબાઈલ લઈને રફુચક્કર થઈ ગઈ હતી.એક જ યુવતી પાવઠી, ટીમાણા સહિતના ગામડાઓમા પરણાવવાનું નાટક કરી, થોડો સમય રહી, મોટી રકમની છેતરપિંડી કરી રહ્યા છે.
રૂપિયા ૫૫૦૦૦ થી લઈને દોઢ લાખ સુધીની રકમનો છેતરપીંડીનો ભોગ બનનાર બે વ્યક્તિ પોલીસ ફરિયાદ કરવા ગઈ હોય બન્નેની ફરિયાદ ન નોંધીને કેસ બંધ કરી દેવાયો હોય આ સ. મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હા પોલીસ કર્મીની ભૂમિકા અને ટોળકી અંગે તપાસ કરી વધુ અનેક જરૂરિયાત મંદ અને આર્થિક રીતે સામાન્ય પરિવારો લૂંટરી દુલહન ટોળકીનો ભોગ બનતા અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech