શહેરના આવેલા જીકેડી જ્વેલર્સ પેઢી સાથે રૂપિયા 1.08 કરોડની સોનાની છેતરપિંડીની ફરિયાદમાં જેલહવાલે રહેલા બંગાળી કારીગરને અદાલતે જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, શહેરમાં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આવેલી આવેલી જીકેડી જ્વેલર્સ પેઢીના સાથે મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ વર્ધમાન નગરમાં રહેતો પ્યાસ કાંતિ તરુણકુમાર પંડિત નામના બંગાળી કારીગરે રૂપિયા 1. 08 કરોડની છેતરપિંડી કર્યા અંગેની પેઢીના સંચાલક જાગનાથ પ્લોટમાં રહેતા નીરજભાઈ ગિરીશભાઈ ધાનકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પોતાના કારખાનામાં મજૂરી કામથી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતો હોય ગત તારીખ 7/ 11/ 24 થી 9/ 12/ 24 દરમિયાન બંગાળી કારીગર પ્યાસ પંડિતને સોનું આપ્યું હતું. તે પૈકી 820 ગ્રામ સોનુ પરત આપેલ નહીં, એમાં સહકારીગરરો અનીસુર રહેમાન, અસીમ મંડલ, રહીમ અલી ફરિયાદીને સોનુ પરત ન કરીને કુલ રૂપિયા 1.08 કરોડનું કિંમતનું 1467 ગ્રામ સોનું લઈ જઇ છેતરપિંડી આચર્યાનું ખુલતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી પ્યાસ કાંતિ તરુણકુમાર પંડિતે સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થતા હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીમાં હાઈકોર્ટનું કડક વલણ જોતા આગોતરા અરજી પરત ખેંચી હતી. બાદ અદાલતમાં રજૂ થતા આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જમીન અરજી કરી હતી. બાદ જામીન અરજી ચાલવા પર આવતા બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલો જેવી કે કોઈ વાઉચર કે બિલમાં આરોપીની સહી નથી, તેમજ ફરિયાદ આશરે બે માસ મૂડી કરવામાં આવી અને તેનું કોઈ કારણ દર્શાવવામાં આવેલ ન હોય અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે આરોપી પ્યાસ પંડિતને શરતને આધીન રૂપિયા 50 હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ તરીકે રોહિત ઘીયા, હર્ષ ઘીયા અને મદદમાં રિધ્ધિબેન ખંધેડીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech