ભાણવડ ખાતે શિવમહાપુરાણ કથાનો પ્રારંભ: વ્યાસપીઠે જયદાસ મહારાજ

  • June 06, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ નગર નાકા બહાર સો વર્ષથી વધુ સમયના પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરના સાનિઘ્યમાં તા. ૩૧/પ/ર૦ર૩ થી માસ શિવ મહાપુરાણનો પ્રારંભ થયેલ. માસ શિવપુરાણના વક્તા ખંભાળીયાના જયદાસ મહારાજ નિ:સ્વાર્થ ભાવે કથાનું તેઓની સુમધુર વાણીથી રસપાન કરાવશે.
શિવમહાપુરાણ આયોજક અને વક્તા જયદાસ મહારાજે સ્થાનિક ભાણવડ તેમજ ખરાવાડ વિસ્તારના ભક્તજનો, યુવક મંડળ, ભાણવડ મહિલા મંડળના સહયોગથી શિવમહાપુરાણનું આયોજન કરેલ છે. જેમાં સારી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહે છે. વ્યાસપીઠના વકતા નિસ્વાર્થભાવે શિવ મહાપુરાણનું રસપાન કરાવી સૌને ભક્તિમય બનાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application