કેદારેશ્ર્વર મંદિરે બાવનગજની ધ્વજાનું થશે આરોહણ

  • August 24, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના જાડેજા પરિવાર દ્વારા કેદારેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ૨૧મો બાવનગજની ધ્વજાઆરોહણ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના એડવોકેટ એવા દંપતીના જન્મદિવસ નિમિત્તે સોમવારે આ ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે.
 કેદારેશ્ર્વર મહાદેવ મંદિરે આઠમ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે ૫૨ ગજની ધ્વજાનું આયોજન છેલ્લા ૨૦ વર્ષથી કરતા  રામભાઇ જાડેજા દ્વારા આ વખતે પણ બાવનગજની ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યુ છે 
જે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા અને પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાના હસ્તે રાખેલ છે તો આ શુભપ્રસંગે સૌ શિવભકતોને ધ્વજારોહણનો લાભ લેવા જણાવાયુ છે.ઉલ્લેખનીય છે કે આયોજક રામભાઇ જાડેજાના પુત્ર કાનન અને પુત્રવધુ વિભૂતિબહેન બંનેનો જન્માષ્ટમીના દિવસે જન્મદિવસ છે અને હાઇકોર્ટ અમદાવાદ ખાતે તેઓ એડવોકેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ એડવાન્સમા આપવામાં આવી રહી છે અને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application