રાજકોટમાં પોપટ પરા વિસ્તારમાં જૂની અદાવતને કારણે 11 વર્ષ પહેલા માધાપર ચોકડી પાસે થયેલી ધોકા વડે સામૂહિક હુમલામાં કલ્પેશ કાકડીયાની થયેલી હત્યાની કોશિશના કેસમાં કુખ્યાત ભરત કુંગશીયા સહિત ત્રણ શખ્સોને થયેલી આજીવન કેદની સજા અને દંડના હુકમ સામેની અપીલના કામે એક આરોપી ભાવેશ કુંગશીયાને રૂપિયા 10 હજારના જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ વિરજીભાઈ કાકડીયા તા. 25- 4- 2013ના રોજ મોરબી રોડ ઉપર આવેલ માધાપર ચોકડી પાસે બેઠા હતા ત્યારે જમીન મુદ્દે ચાલતી અદાવતનો ખાર રાખી ધોકા લાકડી વડે હુમલો કરી ટાટિયા સૂટ કરી દેવા સહિતની ગંભીર ઈજા પહોંચાડવા સબબ ભરત રઘુભાઈ કુંગશીયા, તેનો ભાઈ ભાવેશ રઘુભાઈ કુંગશીયા, જગદીશ દેવાયતભાઈ કુંગશીયા, મહાવીર ઉર્ફે લાલો ચંદુભાઈ જાડેજા, જયંતિ વાઘજી જીંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જીંજુવાડીયાએ જીવલેણ હુમલો કર્યાની ગંભીર ઇજાગ્રસ્ત કલ્પેશભાઈ કાકડિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ બાદ આ કેસ ચાલી જતા હત્યાની કોશિશ સબબ કુખ્યાત ભરત કુંગશીયા, તેના ભાઈ ભાવેશ કુંગશીયા અને ગંભીર ડાંગરને તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂ.ર.પ૦ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
દરમિયાન આજીવન કેદ, દંડની સજા પામેલા ભાવેશ કુંગશિયાએ પોતાના એડવોકેટ મારફત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે અપીલ અનુસંધાને આરોપી દ્વારા જામીન પર છૂટવા રેગ્યુલર જામીન અરજી પણ કરવામાં આવી હતી, જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને હાઇકોર્ટ દ્વારા આરોપી ભાવેશ રઘુભાઈ કુંગશિયાને રૂ.10 હજારના અપીલ ચાલતા દરમ્યાન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ, રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech