પોરબંદર નજીકના મંડેર ગામની કોઢીયાવાળ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ જળપ્લાવિત વિસ્તારમાં કપડા ધોવા ગયા બાદ મહિલા અને તણીનું પાણીમાં ડુબીને મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઇ છે.બન્નેને સરકારી હોસ્પિટલે માધવપુર ખાતે લઇ જવાયા હતા પરંતુ ફરજ પરના તબીબોએ કાકી-ભત્રીજીને મૃત જાહેર કરતા પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો.
મંડેર ગામે ખડી વાડી વિસ્તારમાં રહેતા ભરત બચુભાઇ બાલસ દ્વારા માધવપુરપોલીસ મથકમાં એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે તેમના પત્ની ગીતાબેન ઉ.વ. ૨૯ અને ભત્રીજી જીજ્ઞાબેન કારાભાઇ બાલસ ઉ.વ. ૧૪ બંને તા. ૧૦-૧૦ના બપોરે પોણાચાર વાગ્યે મંડેર ગામની ખડીવાડીમાં આવેલ કોઢીયાવાડ વિસ્તારમાં ખેતરના વાયામાં પાણી વહેતુ હોવાથી કપડા ધોવા માટે ગયા હતા અને બંને કોઇપણ કારણોસર પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતા તાત્કાલિક લોકો દોડી ગયા હતા અને ગીતા બેન તથા તેની ભત્રીજી જીજ્ઞાને બહાર કાઢી હતી તથા વધુ પાણી પી ગયા હોવાથી ઇમરજન્સી સેવા ૧૦૮ મારફતે તાત્કાલિક માધવપુરના સી.એચ.સી. સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બબ્બે સભ્યોના આ રીતે અચાનક મોતથી પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech