રસ્તે ચાલવાના પ્રશ્ને બે શખ્સોએ તકરાર કર્યા પછી આંખમાં મરચાની ભૂકી છાંટી લાકડી વડે માર મારી માલસામાનને નુકસાન પહોંચાડ્યું
જામનગર નજીક બેડમાં રામ મંદિર પાસે ભરાતા મેળામાં કટલેરી નો માલ સામાન વેચવા માટે ગયેલા જામનગરના એક દંપતિને રસ્તે ચાલવાના પ્રશ્ન બે સ્થાનિકોએ લાકડી વડે માર માર્યો હતો, અને આંખમાં મરચાની ભૂકી છાંટી માલસામાન વેરણ છેરણ કરી નાખી રૂપિયા ૪૦ હજારનું નુકસાન કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દરબારગઢ વિસ્તારમાં રહેતી અને કટલેરી નો માલ સામાન વેચવાનો વ્યવસાય કરતી ચાંદની બેન નીતિનભાઈ (ઉંમર વર્ષ ૨૯) કે જે વેપારી મહિલા રામનવમીના તહેવારના દિવસે બેડ માં આવેલા રામના મંદિરની પાસે ભરાતા મેળામાં પોતાના પતિ સાથે કટલેરી નો માલ સામાન વેચવા માટે ગઈ હતી, અને મંદિર નજીક પથારો પાથરીને માલ સામાનનું વેચાણ કરી રહ્યા હતા.
જે દરમિયાન તેઓના માલ સામાનની બાજુમાં રસ્તો ન હોવા છતાં ક્રિપાલસિંહ અને અરુણ નામના બે સ્થાનિક શખ્સો પથારા પાસેથી પસાર થયા હતા. જેથી ચાંદનીબેન અને તેના પતિએ અહીંથી પસાર થવાની ના પાડતાં બંને શખ્સો ઉસકેરાઈ ગયા હતા, અને તેઓએ પોતાની પાસે રહેલી મરચાની ભૂકી દંપતિની આંખોમાં છાંટી હતી.
ત્યારબાદ લાકડી વડે હુમલો કરી દંપત્તિને ઘાયલ કર્યા હતા, અને તેઓનો કટલેરી નો માલ સામાન વેરણ છેરણ કરી નાખી અંદાજે ૪) હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું. જેથી સમગ્ર મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં સિક્કા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬-૨,૪૨૭ અને જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને હુમલા બાદ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આગામી 17 તારીખે મેવાસા ખાતે યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
May 15, 2025 12:20 PMજામનગર જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા માટે સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે
May 15, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech