૫૦૦થી વધુ જગ્યાએ વાજતે ગાજતે ગણેશજીના થયા ભાવપૂર્વક સ્થાપન

  • September 07, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં વિવિધ સ્થળોએ ઉત્સાહ સાથે ગણેશ સ્થાપન કરવામાં આવ્યા હતા તથા ઠેર ઠેર પૂજન-અર્ચન થતા ગણેશભકતો વિવિધ પંડાલો ખાતે વિવિધ થીમ પર ડેકોરેશન કરતા નજરે ચડયા હતા અને ૫૦૦થી વધુ જગ્યાએ થયેલા સ્થાપનમાં દરરોજ અવનવા  કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જાહેર થયુ હતુ.
પોરબંદરમાં આજથી ગણેશ ચતુર્થીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરમાં નાના મોટા મળી ૫૦૦ સ્થળો એ ગણેશજીના પંડાલ ઊભા કરવામાં આવ્યા છે. આજે ગણેશજીનું વાજતે ગાજતે સ્વાગત કરી સ્થાપના કરવામાં આવી છે અને આ ઉત્સવને લઇને આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પોરબંદરમાં આજે  ગણેશ ચતુર્થીના દિવસે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરમાં નાના-મોટા મળી ૫૦૦ થી વધુ સ્થળો એ ગણેશજીનું સ્થાપન કરવામાં ,આવ્યા છે. પંડાલ ના આયોજકો અગાઉ જ ગણેશજીની મૂર્તિની સ્થાપનની જગ્યાએ મંડપ તેમજ સિંહાસન વગેરે મૂકી પંડાલો લાવવામાં લાગી ગયા હતા.ગણેશોત્સવ શ‚ થતા જ આજથી દરરોજ રાત્રીના સમયે પંડાલોમાં વિવિધ દર્શન નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડશે આ ઉપરાંત ઘરે પણ લોકો ગણેશજીની મૂર્તિને લાવીને પૂજા અર્ચના કરી રહ્યા છે. પંડાલો માં આયોજકો દ્વારા દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. તો ખારવાવાડ સહિતના વિસ્તારમાં તો અવનવી પ્રતિમાઓનું સ્થાપન થયું છે અને ગણેશ પંડાલો ખાતે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યા છે અને શહેરમાં આવેલ વિવિધ ગણેશ મંદિરોએ પણ ભક્તોની ભીડ જામી છે અને ભગવાન શ્રી ગણેશને મોદક પ્રસાદી ધરવામાં આવી હતી. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ મીઠાઇની દુકાનોએ પણ પ્રસાદી ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application