એસ્ટ્રાઝેનેકાએ કોરોના રસી પરત ખેંચી

  • May 08, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એસ્ટ્રાઝેનેકાએ કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન વિશ્વભરમાં લોકોને રસી પૂરી પાડી હતી, હવે તેણે તેની કોરોના રસી દુનિયાભરમાંથી પરત મંગાવી છે. કંપ્નીએ કહ્યું છે કે તે વિશ્વભરમાંથી તેની વેક્સજાવેરિયા રસી પરત મંગાવી રહી છે. નોંધનીય છે કે એસ્ટ્રાઝેનેકા દ્વારા લાઇસન્સ પ્રાપ્ત કોવિશિલ્ડ રસી ભારતમાં પણ કોરોના સામે રક્ષણ આપવા માટે આપવામાં આવી હતી. ભારતમાં આપવામાં આવતી કોવિશિલ્ડ રસી પણ એ જ ફોર્મ્યુલા પર બનાવવામાં આવે છે જેના પર વેક્સજાવેરિયા રસી બનાવવામાં આવે છે. કોવિશિલ્ડ ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી ભારતમાં કોરોનાની રસી પાછી ખેંચવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહેવાલ મુજબ, એસ્ટ્રાઝેનેકાએ દાવો કર્યો છે કે રસીનું અપડેટેડ વર્ઝન ઉપલબ્ધ છે, તેથી રસીનો જૂનો સ્ટોક પાછો બોલાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કંપ્નીએ 5 માર્ચે જ વેક્સઝર્વેરિયાની રસી પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ આદેશ 7 મેથી અમલમાં આવ્યો હતો. બ્રિટિશ-સ્વીડિશ ફામર્સ્યિુટિકલ કંપ્ની એસ્ટ્રાઝેનેકાનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે કંપ્નીએ તાજેતરમાં સ્વીકાર્યું છે કે કેટલાક કિસ્સાઓમાં કોવિડ રસીની આડઅસર સામે આવી છે અને તેના કારણે કેટલાક લોકોમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ રોગના લક્ષણો જોવા મળ્યા છે લોકોમાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે.



એસ્ટ્રાઝેનેકા કંપ્ની કોવિડ વેક્સિનને લઈને અનેક મુકદ્દમાનો સામનો કરી રહી છે. એવો આરોપ છે કે કોવિડની રસી લીધા પછી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમી સ્કોટ નામના વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સ્કોટે આરોપ લગાવ્યો છે કે રસી લીધા પછી તેના શરીરમાં લોહી ગંઠાઈ જવાની અને મગજમાં રક્તસ્ત્રાવની સમસ્યા હતી. જેના કારણે તેના મગજને નુકસાન થયું હતું. કંપની સામે આવા 50 થી વધુ કેસ નોંધાયા છે. કંપ્નીએ કોર્ટમાં લેખિત દસ્તાવેજોમાં એ પણ સ્વીકાર્યું છે કે કેટલાક દુર્લભ કિસ્સાઓમાં, કોરોના રસીમાં આડઅસર જોવા મળી શકે છે.

ભારતમાં સીરમ સંસ્થા દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય નહિ
એસ્ટ્રાઝેનેકાએ યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાંથી કોરોનાની રસી મંગાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં સીરમ સંસ્થા દ્વારા હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતમાં પણ કોવિશિલ્ડ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને રસીની સુરક્ષાની ચિંતાઓ પર સુનાવણીની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી માટે સંમતિ દશર્વિી છે, પરંતુ હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application