જામનગર ના એક આસામી સામે રૂ.૧ લાખ ૪૦ હજારના ચેક પરત ફરવા અંગે ની અદાલત માં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને છ માસ ની કેદ ની સજા નો આદેશ કર્યો છે.
જામનગર માં શિવ એન્ટરપ્રાઈઝ નામથી પેઢી ચલાવતા નરેન્દ્ર નાથાભાઈ ગંઢા પાસે થી ભાવેશ વિષ્નુભાઈ કારીયા એ સંબંધદાવે હાથ ઉછીના રૂ.૧ લાખ ૪૦ હજાર મેળવ્યા હતા. તેની પરત ચૂકવણી માટે ભાવેશ કારીયાએ ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી નરેન્દ્રભાઈ એ અદાલત માં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ભાવેશ વિષ્નુભાઈ કારીયા ને તક્સીરવાન ઠરાવી છ માસ ની કેદની સજા અને રૂ.૧ લાખ ૪૦ હજાર નો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા અને . દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કોલેરાનો રોગચાળો ફેલાતો અટકાવવા પ્રતિબંધાત્મક આદેશો મુકાયા...જાણી લો
October 21, 2024 10:51 PMપોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠક...હેલ્મેટને લઈ કહી દિધી આ મોટી વાત
October 21, 2024 10:28 PMરાજય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ...આટલા હજાર મળશે બોનસ
October 21, 2024 07:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech