જામનગરના આસામીને ચેક ૫રતના કેસમાં છ માસની સજા

  • October 16, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના એક આસામી સામે રૂ.૧ લાખ ૪૦ હજારના ચેક પરત ફરવા અંગે ની અદાલત માં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને છ માસ ની કેદ ની સજા નો આદેશ કર્યો છે.


જામનગર માં શિવ એન્ટરપ્રાઈઝ નામથી પેઢી ચલાવતા નરેન્દ્ર નાથાભાઈ ગંઢા પાસે થી ભાવેશ વિષ્નુભાઈ કારીયા એ સંબંધદાવે હાથ ઉછીના રૂ.૧ લાખ ૪૦ હજાર મેળવ્યા હતા. તેની પરત ચૂકવણી માટે ભાવેશ કારીયાએ ચેક આપ્યો હતો.


તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી  નરેન્દ્રભાઈ એ અદાલત માં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ભાવેશ વિષ્નુભાઈ કારીયા ને તક્સીરવાન ઠરાવી છ માસ  ની કેદની સજા અને રૂ.૧ લાખ ૪૦ હજાર નો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા અને . દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application