અયોઘ્યા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા જનાર કલાકારોનું બાલા હનુમાન ખાતે ધારાસભ્યના હસ્તે સન્માન

  • January 16, 2024 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોઘ્યા ખાતે તા. રર/૦૧/ર૦ર૪ ના રોજ યોજાનાર રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જામનગરનું આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલ હાલાર લોક કલા કેન્દ્રનો તા. ૧૮/૦૧/ર૦ર૪ થી તા. રર/૦૧/ર૦ર૪ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરથી તા. ૧૬/૦૧/ર૦ર૪ ના રોજ કલાક ૯ વાગ્યે પ્રસ્થાન કરશે. આ પૂર્વે તમામ કલાકારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતાં, ગ્રુપના કોરિયોગ્રાફર જે.સી. જાડેજા સાથે ભૂતપૂર્વ પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ અજીતસિંહ કે. ચૌહાણ સહિત ૧૬ કલાકારો ભાગ લેવા સામેલ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application