મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને આતંકવાદીઓ વચ્ચે બુધવારે રાતે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ માર્યા ગયા. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે મ્યાનમાર સરહદ પર ન્યૂ સમતાલ ગામ નજીક શંકાસ્પદ સશસ્ત્ર આતંકવાદીઓની હિલચાલ અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ઘણીવાર આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી શેર કરતા, ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે જણાવ્યું હતું કે 14 મેના રોજ, આસામ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળના ખેંગજોય તહસીલના ન્યૂ સમતલ ગામમાં આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે ઘણીવાર આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે.
જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો
ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં, સૈનિકોએ સંયમ અને રણનીતિ સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે." સેનાએ એમ પણ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીને 'કેલિબ્રેટેડ' એટલે કે આયોજનબદ્ધ અને ચોક્કસ તરીકે વર્ણવવામાં આવી છે.
આ કાર્યવાહી દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech