૭૧ કલાર્કની અરસપરસ બદલી: હવે નવો સ્ટાફ આવતા પંચાયતી કામગીરીને વેગ મળશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઓર્ડર અપાયા
જામનગર જિલ્લા પંચાયતમાં ૩પ થી ૪૦ ટકા જેટલી જગ્યા ખાલી હતી, જેના હિસાબે પંચાયતનો વહીવટ અવારનવાર ખોરંભે પડતો હતો, સરકારના આદેશ બાદ જિલ્લા પંચાયતમાં ૧૩૬ નવા તલાટીની તેમજ ૩૧ જુનિયર કલાર્કની નિમણુંકના ઓર્ડર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવ્યા હોવાથી જામનગર જિલ્લા પંચાયતનું ચિત્ર બદલાઇ જશે, વર્ષોથી ખાલી પડેલ જગ્યા પર નિમણુંક થઇ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આ ઓર્ડરો આપવામાં આવ્યા છે, પંચાયતના અનેક વિભાગોમાં મહત્વની જગ્યાઓ ખાલી હતી, બાંધકામ, આરોગ્ય, શિક્ષણ સહિતના મહત્વના વિભાગોમાં પણ જગ્યા ખાલી હોવાના કારણે લોકોના કામ થઇ શકતા ન હતા, એટલું જ નહીં કેટલાક મહત્વના કામો અટકી પડતા હતા, જિલ્લા પંચાયતના ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓએ પણ ખાલી પડેલી જગ્યા ઉપર તલાટી અને કલાર્કની નિમણુંક કરવા માટે સરકારમાં અવારનવાર વિનંતી કરતા પત્રો પણ લખ્યા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી અધિકારીઓની નિમણુંક કરવામાં આવતા હવે આગામી દિવસોમાં જામનગર જિલ્લા પંચાયતનું કામ સરળતાપૂર્વક રહેશે.
કેટલાક ગામડાઓમાં બે-ત્રણ ગામ વચ્ચે એક જ તલાટીની નિમણુંક થઇ હોવાથી તેઓ પહોંચી શકતા ન હતા અને ગામડાની કામગીરી પણ ખોરંભે ચડતી હતી, ઉપરાંત ૩૧ જેટલા નવા કલાર્કની નિમણુંક થતાં પંચાયતમાં હવે ખાતાકીય કામગીરી પણ વેગ આવશે, આમ જામનગર જિલ્લા પંચાયતમાં ડીડીઓ દ્વારા ૭૧ તલાટી મંત્રીઓને પણ અસરપરસ બદલી કરવામાં આવી છે, ત્યારે વહીવટી સરળતા ખાતર આ બદલી થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેતરમાં ખોદકામ કર્યું અને થઇ ગયો માલામાલ
September 20, 2024 10:05 AMખેતરમાં વધી ગયા હતા મચ્છર તો ખેડૂતે કર્યો જુગાડ, ભેંસને બાંધી મચ્છરદાનીમાં
September 20, 2024 10:02 AMઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech