જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના વધુ એક શંકાસ્પદબાળ દર્દીને દાખલ કરાયો

  • August 10, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ ૩ બાળ દર્દીઓ સારવાર હેઠળ: ત્રણને રજા અપાઇ: ૮ શંકાસ્પદ બાળદર્દીના મૃત્યુ


જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે સાંજે જામજોધપુર પંથકના માત્ર ૧૦ માસના બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યો છે, અને તેની સધન સારવાર ચાલી રહી છે, જેના નમુનાઓ લઈને પૃથ્થકરણ માટે પુનાની લેબમાં મોકલવામાં આવ્યા છે.


જામનગર શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા ના શંકાસ્પદ એવા ૧૫ દર્દીઓ નોંધાયા છે, જે તમામ બાળ દર્દીઓ પૈકી આઠ બાળ દર્દીઓના શંકાસ્પદ ચાંદીપુરા ના દર્દી તરીકે મોત થયા છે. જ્યારે હાલ ૩ ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે, ઉપરાંત ત્રણ બાળ દર્દીઓની તબિયતમાં સુધારો થઈ જતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application