ટીમ ઈન્ડિયાની ભવ્ય સ્વાગતની જાહેરાત, આવતીકાલે સાંજે 5 વાગ્યે મરીન ડ્રાઈવથી વિજય સરઘસ

  • July 03, 2024 09:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના ભવ્ય સ્વાગતની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈમાં વિજય પરેડ નીકાળશે.


ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી રવાના થઈ ગઈ છે અને આ દરમિયાન વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ભારતીય ટીમના ભવ્ય સ્વાગતની જાહેરાત કરવામાં આવી છે.


ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વ પર વિજય મેળવ્યા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયા 4 જુલાઈ, ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે. અહીં ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયા સવારનો નાસ્તો પીએમ મોદી સાથે જ કરશે. નાસ્તાનો સમય સવારે 11 વાગ્યાનો હોવાનું કહેવાય છે. આ પછી ટીમ મુંબઈ માટે રવાના થશે. જ્યાં T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવશે.




BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને મુંબઈમાં ટીમ ઈન્ડિયાના ભવ્ય સ્વાગત અને શાનદાર વિજય પરેડ વિશે જાણકારી આપી છે. જેમાં તેણે મુંબઈમાં વિક્ટરી પરેડ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું- ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીતના સન્માનમાં વિજય પરેડમાં જોડાઓ. અમારી સાથે ઉજવણી કરવા માટે 4 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ પર આવો. તારીખ નોંધી લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application