વિશ્વ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના ભવ્ય સ્વાગતની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈમાં વિજય પરેડ નીકાળશે.
ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસથી રવાના થઈ ગઈ છે અને આ દરમિયાન વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ભારતીય ટીમના ભવ્ય સ્વાગતની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વ પર વિજય મેળવ્યા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયા 4 જુલાઈ, ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે. અહીં ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયા સવારનો નાસ્તો પીએમ મોદી સાથે જ કરશે. નાસ્તાનો સમય સવારે 11 વાગ્યાનો હોવાનું કહેવાય છે. આ પછી ટીમ મુંબઈ માટે રવાના થશે. જ્યાં T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવશે.
BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને મુંબઈમાં ટીમ ઈન્ડિયાના ભવ્ય સ્વાગત અને શાનદાર વિજય પરેડ વિશે જાણકારી આપી છે. જેમાં તેણે મુંબઈમાં વિક્ટરી પરેડ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું- ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીતના સન્માનમાં વિજય પરેડમાં જોડાઓ. અમારી સાથે ઉજવણી કરવા માટે 4 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ પર આવો. તારીખ નોંધી લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech