જામનગર નજીક રસ્તો ઓળંગી રહેલા અજ્ઞાત પુરુષનું બાઈકની ઠોકરે મોત

  • November 22, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પર રસ્તો ઓળંગી રહેલા ૫૦ વર્ષના અજ્ઞાત પુરુષને એક બાઈકના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર સ્વરૂપે ઘાયલ થયા પછી મૃત્યુ નીપજયું છે. પોલિસે મૃતદેહનો કબ્જો સાંભળી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પર ગત તા. ૩ના પુરપાટ વેગે આવી રહેલા જી.જે.-૩ ડી.સી. ૨૪૨૬ નંબરના મોટર સાઇકલના ચાલકે રસ્તો ઓળંગી રહેલા ૫૦ વર્ષના એક અજ્ઞાત પુરુષને ઠોકરે ચડાવતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી છે, ઉપરાંત મૃતકની ઓળખ થઈ ન હોવાથી તેની ઓળખ કરવા માટે તેના વાલી વારસદારની શોધખોળ શરૂ કરી છે. મૃતકે પોતાના હાથમાં રાજેશ ગાંડા ભગત અને ત્રાજવું ત્રોફાવેલા છે, જે અંગેની કોઈને જાણકારી હોય તો જામનગર પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં એસ.જી. ડાભી ૦૨૮૮-૨૭૩૦૧૫૧નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. આ બનાવ અંગે મુળ જશાપરના હાલ ગોકુલનગરમાં રહેતા પરેશ કારાભાઇ ગોજીયા દ્વારા પંચ-બીમાં ઉપરોકત નંબરના મોટરસાયકલના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application