તળાજામાં રોજગાર ભરતી મેળો યોજાયો

  • August 23, 2024 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા તથા સરકારી વિનિયન કોલેજ-તળાજાનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૧-૮-૨૦૨૪ના રોજ સરકારી વિનિયન કોલેજ-તળાજા ખાતે ભરતીમેળો યોજાયો હતો. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના અગ્રગણ્ય ૦૫ નોકરીદાતા દ્વારા વિવિધ પોસ્ટ માટે વેકેન્સી નોંધાવેલ જે માટે ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ડિપ્લોમા, સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો બહોળી સંખ્યામાં હાજર રહેલ.ઉપરોક્ત ઉમેદવારો પૈકી ૮૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તેવું મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરીની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application