મુંબઈથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન અચાનક આ કારણે પાછું ફર્યું

  • August 14, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મુંબઈથી લંડન ગયા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટને મુંબઈમાં પાછું લેન્ડ કરવું પડ્યું હતું. આ સંદર્ભે એર ઈન્ડિયા દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી અને તેમાં મુસાફરોને પડી રહેલી મુશ્કેલી બદલ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI129ને ટેક્નિકલ ખામીના કારણે મુંબઈ પરત ફરવું પડ્યું હતું. સાવચેતીભર્યા ચેકિંગ માટે પ્લેન સુરક્ષિત રીતે મુંબઈમાં લેન્ડ થયું હતું. એર ઈન્ડિયાએ મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે, એરલાઈને કહ્યું કે તેણે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.


એરલાઈને કહ્યું કે જો મુસાફરો ઈચ્છે તો તેઓ તેમની વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આગળની મુસાફરી ચાલુ રાખી શકે છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે ટિકિટ કેન્સલેશન પર સંપૂર્ણ રકમ પરત કરશે. ઉપરાંત, જો કોઈ પેસેન્જર પછીની તારીખે મુસાફરી કરવા માંગે છે, તો આગળની ટિકિટ મફતમાં બુક કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application