જામનગરની દિગ્જામ લીમીટેડ કંપનીમાં નિવૃત્તિ યોજનામાં સુખદ સમાધાન
કામદારો ની નિવૃત્તિ યોજના બાબતે વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન નામદાર ઇન્ડસ્ટ્રીયલ ટીબ્યુનલની દરમ્યાનગીરી થી તા.૭/૮/૨૪ ના રોજ સુખદ સમાધાન થયેલ છે.આ સુખદ સમાધાન કંપની મેનેજમેન્ટ અને યુનીયનો વચ્ચે રાજીખુશીથી થતાં કામદારો માં ખુશી ની લહેર આવી છે.
આ સમાધાન કંપની ના મુંબઈ સ્થિત મેનેજમેન્ટ ની સીધી દેખરેખ હેઠળ કંપનીના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અજયકુમાર અગ્રવાલ ના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક મેનેજમેન્ટ વતી કંપની ના વાઈસ પ્રેસિડેન્ટ વર્કસ આર કે તિવારી અને મેનેજર પી એન્ડ એ જયેશભાઈ મહેતા દ્વારા યુનિયનના પ્રતિનિધિઓ સાથે સતત વાટાઘાટો કરી હતી.
આ સમસ્યાનોના સમાધાન માટે યુનીયન તરફથી કામદાર મંડળ દિગ્જામ ના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ સોઢા, દિગ્જામ વુલન મીલ મઝદૂર સંઘના પ્રમુખ પંકજભાઈ રાયચુરા, વુલન મીલ કામદાર સંધના પ્રમુખ દશરથસિંહ સોઢા, કામદાર મંડળ દિગ્જામ ના કાનુની સલાહકાર પંકજભાઈ જોષી સહિત કંપની ના સ્થાનિક પ્રતિનિધિ દ્વારા કામદારો તરફે સતત વાટાઘાટો કરી હતી .
કંપની મેનેજમેન્ટ તમામ યુનિયનના પ્રતિનિધિઓ , કામદારોના પ્રતિનિધિઓ, જામનગરના ચુંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ ઉપરાંત નામદાર ઇન્ડસ્ટ્રીયલ ટીબ્યુનલનો આ સુખદ સમાધાન માટે ખાસ આભાર માને છે.