જાણીતી ટેક કંપની એપલે ભારતીય મૂળના સંશોધક અમર સુબ્રમણ્યને એઆઈના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ પદ અગાઉ જોન ગિયાનન્દ્રિયા સંભાળતા હતા. નવીનતા લાવવામાં માં પાછળ રહ્યા બાદ એપલે આ પગલું ભર્યું છે. અમર અગાઉ માઈક્રોસોફ્ટમાં હતા અને હવે એપલમાં મુખ્ય એઆઈ-સંબંધિત ક્ષેત્રોનું નેતૃત્વ કરશે. તેમણે ગૂગલની ડીપમાઇન્ડ ટીમમાં પણ કામ કર્યું છે.એવા અહેવાલો બહાર આવ્યા છે કે એપલના સીઈઓ ટિમ કૂકે એઆઈ હેડ ગિયાનન્દ્રિયાની પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંભાળવાની ક્ષમતા પર વિશ્વાસ ગુમાવી દીધો છે.ત્યારથી, એવી અટકળો ચાલી રહી હતી કે એપલ એઆઈ વિભાગની કમાન બીજા કોઈને સોંપી શકે છે. સોમવારે, એપલે આ ભૂમિકા માટે અમર સુબ્રમણ્યમની પસંદગી કરવામાં આવી . અમર અગાઉ માઇક્રોસોફ્ટમાં હતા, જ્યાં તેમણે એઆઈના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી.
એપલ હંમેશા તેના નવીનતા માટે જાણીતું છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, એપલના ઉપકરણોમાં કેમેરા ગોઠવણી અને સોફ્ટવેર અપગ્રેડ સિવાય કોઈ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા નથી. જ્યારે અન્ય ટેક કંપનીઓ તેમના ઉપકરણોમાં એઆઈને એકીકૃત કરી રહી છે, ત્યારે એપલ તેના લેગસી સિરી સહાયક પર આધાર રાખવાનું ચાલુ રાખે છે.
એપલનો સૌથી મોટો સ્પર્ધક, સેમસંગ, પણ તેના ઉપકરણોમાં તેની એઆઈ સુવિધાઓને ઝડપથી અપડેટ કરી રહ્યું છે. એપલ આ રેસમાં ઘણું પાછળ રહી ગયું હતું. એવું લાગે છે કે એપલે હવે આ ભૂલ સુધારવા માટે પગલાં લીધા છે. અમર સુબ્રમણ્યમ એપલ ફાઉન્ડેશન મોડેલ્સ અને એમએલ સંશોધન જેવા મુખ્ય ક્ષેત્રોનું નેતૃત્વ કરશે, અને સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડેરીઘીને રિપોર્ટ કરશે
અમર સુબ્રમણ્યમની ઓળખ
અમર સુબ્રમણ્યમ ભારતીય મૂળના છે. હાલમાં તેમના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે, પરંતુ તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમણે બેંગ્લોર યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. અમરે 2005 અને 2009 ની વચ્ચે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી.તેઓ ગૂગલની ડીપમાઇન્ડ ટીમનો પણ ભાગ હતા, જે તેના અદ્યતન એઆઈ કાર્ય માટે જાણીતી છે. તેમણે ગૂગલમાં 16 વર્ષ ગાળ્યા, જેમિની સહાયક માટે એન્જિનિયરિંગનું નેતૃત્વ કર્યું. ત્યારબાદ તેઓ માઇક્રોસોફ્ટમાં ગયા અને હવે એપલમાં જોડાઈ રહ્યા છે.