વિમાન દુર્ઘટનામાં શેરબજારમાં પણ ભારે હલચલ મચી ગઈ છે. અકસ્માતના સમાચાર આવતાની સાથે જ ટાટા ગ્રુપના તમામ શેર એક પછી એક તૂટી પડ્યા. તમને જણાવી દઈએ કે, એર ઇન્ડિયા એરલાઇન કંપની ટાટા ગ્રુપની માલિકીની છે. ટાટા ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડાનું પૂર આવ્યું હતું. એરલાઇન સાથે સંકળાયેલી આ મોટી દુર્ઘટનાથી માત્ર ઉડ્ડયન ક્ષેત્રને જ નહીં, પરંતુ સમગ્ર ટાટા ગ્રુપની બજાર છબીને પણ ફટકો પડ્યો છે. ટીસીએસ 1 ટકાથી વધુ, ટાટા સ્ટીલ શેર 3 ટકા, ટાટા પાવર 2.5 ટકા, ટાટા એલેક્સી 2 ટકાથી વધુ, ટાટા કોમ્યુનિકેશન્સ 1 ટકાથી વધુ, ટાટા મોટર્સ 3 ટકાથી વધુ, ટાટા કેમિકલ્સ 3 ટકા, ટાટા કન્ઝ્યુમર 2 ટકાથી વધુ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લગભગ 4 ટકા અને ઇન્ડિયન હોટેલ્સ 2 ટકાથી વધુ તૂટ્યો છે. સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સ, ટાટા કેમિકલ્સ, ટાટા કન્ઝ્યુમર, ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને ટાટા સ્ટીલના શેરમાં જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આવી ઘટનાઓ રોકાણકારોના મનમાં ભય અને મૂંઝવણ પેદા કરે છે, જે જૂથ સાથે સંકળાયેલી બધી કંપનીઓના શેર પર દબાણ લાવે છે. ટાટાનું નામ એર ઇન્ડિયા સાથે સંકળાયેલું હોવાથી બજારે સમગ્ર જૂથને એક જ નજરે જોવાનું શરૂ કર્યું છે.
પીએમ મોદીએ અમદાવાદ આવવા રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. તેમણે અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ઘટનાનો તાગ મેળવ્યો. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પીએમ મોદીને જણાવ્યું કે તેઓ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. તેમણે મંત્રી નાયડુને પરિસ્થિતિ વિશે નિયમિતપણે માહિતી આપવા જણાવ્યું છે. બધી સંબંધિત એજન્સીઓ ઉચ્ચ સતર્કતા પર છે અને સંકલિત પ્રયાસો ચાલી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી અને લખ્યું, "એર ઈન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ની દુર્ઘટનાથી હું આઘાત પામ્યો છું અને ખૂબ જ દુઃખી છું. અકલ્પનીય નુકસાન સહન કરનારા પરિવારો સાથે અમારી સંવેદના છે. અમે તમામ અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને જમીન પર પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છીએ.
હોસ્ટેલ પર વિમાન અથડાતા ભયાવહ દ્રશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.
જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
રાહત કામગીરી વચ્ચે રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોનની લૂંટ
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech