ઉત્તરાખંડના બદ્રીનાથમાં સ્થાનિક વહીવટીતત્રં અને બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિની કથિત અનિયમિતતાઓ સામે આક્રોશ વ્યકત કરતા, પૂજારી સમુદાય અને સ્થાનિક લોકોએ તેમની દુકાનો બધં રાખી અને વિરોધ પ્રદર્શન કયુ હતું. આંદોલનકારીઓએ બદ્રીનાથમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા બધં કરવા, સ્થાનિક લોકો માટેના પરંપરાગત માર્ગેા પરના અવરોધો દૂર કરવા, મંદિરમાં પહેલાની જેમ પ્રવેશ કરવા સહિતની અડધો ડઝનથી વધુ માગણીઓ સાથે હંગામો મચાવ્યો હતો.
બાદમાં આંદોલનકારીઓ અને મંદિર સમિતિના અધિકારીઓ વચ્ચેની વાતચીત બાદ રસ્તા પરથી બેરીકેટસ હટાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ આંદોલન પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. જોશીમઠના સબ–કલેકટર ચંદ્રશેખર વશિે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓને આંદોલનકારીઓની અન્ય માંગણીઓ વિશે જાણ કરવામાં આવી છે.
દરમિયાન, વીઆઈપી દર્શન પ્રણાલી બધં કરવાની આંદોલનકારીઓની માંગ પર, મંદિર સમિતિના ઉપાધ્યક્ષ કિશોર પંવારે જણાવ્યું હતું કે રાય સરકારની સૂચના પર હજુ સુધી વીઆઈપી દર્શન વ્યવસ્થા શ કરવામાં આવી નથી.
શ્રદ્ધાળુઓના જબરદસ્ત ઉત્સાહને જોઈને ઉત્તરાખડં સરકારે દેશના તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને વિનંતી કરી છે કે પહેલા ૧૫ દિવસમાં વીઆઈપી લોકોને ચારધામ દર્શન માટે ન આવવા દેવામાં આવે. ૧૦મી મેથી ચારધામ યાત્રાનો પ્રારભં થયો છે. દિવસની શઆતમાં, યાત્રાળુ પાદરીઓ અને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કયુ અને બજારો અને દુકાનો થોડા સમય માટે બધં રાખી, યાત્રાળુઓને આવશ્યક ચીજવસ્તુઓની જર પડી.
કેદારનાથ અને બદ્રીનાથમાં માસ્ટર પ્લાનના નામે થઈ રહેલી કથિત ગેરરીતિઓને લઈને બંને તીર્થસ્થળોમાં સ્થાનિક પ્રશાસન સામે રોષ છે. જેના કારણે ભગવાન બદ્રીનાથના દર્શન કરવા આવેલા હજારો શ્રદ્ધાળુઓ પણ પરેશાન રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech