સાડા ત્રણ વર્ષ પછી પોરબંદરવાસીઓ માટે ફલાઇટ થશે લેન્ડ

  • March 28, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં સાડા ત્રણ વર્ષથી બંધ વિમાની સેવા આવતીકાલથી શ‚ થવા જઇ રહી છે અને પોરબંદરનું સુનુ પડેલુ એરપોર્ટ ફરીથી ધમધમતુ થશે. 
છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોરબંદરનું એરપોર્ટ ફલાઇટ વિહોણુ અને સુનુ સુનુ છે અને વિમાનીસેવા શ‚ કરવા માટે સ્થાનિક નેતાઓથી માંડીને કેન્દ્રીય નેતાઓએ પણ અનેકવખત રજૂઆતો કરી હતી તેમ છતાં મુસાફરો મળતા નથીના બહાના હેઠળ પોરબંદરની વિમાની સેવા સંપૂર્ણ રીતે બંધ થઇ ગઇ હતી. લોકસભાની ચૂંટણી સમયે પોરબંદર બેઠક પરથી લડનારા કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મનસુખ માંડવીયાએ એવુ વચન પણ આપ્યુ હતુ કે તેઓ ચૂંટાઇ જશે એટલે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને પોરબંદરની બંધ વિમાની સેવા પુન: શ‚ કરાવશે અને તેમણે પોરબંદરની બે દિવસીય મુલાકાત દરમ્યાન એવું જણાવ્યુ હતુ કે ચાલુ મહિનામાં એટલે કે માર્ચ મહિનાના અંત સુધીમાં પોરબંદરની વિમાની સેવા શ‚ થઇ જશે અને તેમણે આપેલ વચન આવતીકાલે પૂર્ણ થવા જઇ રહ્યુ છે.આવતીકાલે શનિવારે સ્પેશ્યલ ફલાઇટ મુંબઇથી ઉડાન ભરશે અને પોરબંદર આવી પહોંચશે. ત્યારબાદ અઠવાડીયામાં બે વખત નિયમિત રીતે આ વિમાની સેવા કાર્યરત રહેશે.
અઠવાડિયામાં બે દિવસ મંગળવારે અને ગુરુવારે પોરબંદર-મુંબઇ વચ્ચેની વિમાની સેવા ઉડાન ભરશે. સ્પાઇસ જેટ દ્વારા તેનું ઓનલાઇન બુકીંગ પણ શ‚ થયુ છે. જેમાં પહેલી એપ્રિલે મુંબઇથી પોરબંદર આવવા માટે ૧૧:૩૦ કલાકે ફલાઇટ ઉડાન ભરશે અને પોરબંદર ૧ વાગ્યે આવી પહોંચશે. પોરબંદરથી ૧:૨૫ મિનિટે મુંબઇ જવા ફલાઇટ ઉડાન ભરશે અને ૨:૫૫ મિનિટે મુંબઇ ખાતે પહોંચી જશે. શ‚આતના તબકકે અઠવાડીયામાં બે દિવસ મંગળવાર તથા ગુ‚વારે આ વિમાની સેવા શ‚ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહિત રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા વગેરેએ આ મુદ્ે વારંવાર રજૂઆત કરી છે અને તે હવે સફળ રહી છે તેથી હવે પોરબંદરવાસીઓને વિમાની સેવાનો આવતીકાલથી લાભ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application