સોનાની જેમ જ ટૂંક સમયમાં ચાંદી પર પણ હોલમાકિગનો નિયમ લાગુ કરવામાં આવશે. સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. સોના અને બુલિયનમાં કેટલાક તબક્કામાં હોલમાકિગ લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ ચાંદી પર તેનો અમલ કરવામાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ સમસ્યાઓના ઉકેલો શોધી કાઢા બાદ સરકાર તેને લાગુ કરવાનું વિચારી રહી છે.
નિષ્ણાતોના મતે, હાલમાં ચાંદી પર હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન છાપવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેને ચાંદીમાંથી હોલમાકિગને સરળતાથી ભૂંસી શકાય છે. અત્યારે સરકાર આ મુદ્દાનો ઉકેલ શોધવામાં વ્યસ્ત છે. આ અંગે ટેકનિકલ ઉકેલો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હોલમાકિગ એક યુનિક આઈડી છે જે ભારતીય માનક બ્યુરો દ્રારા ચકાસાયેલ છ–અંકનો કોડ છે, જે કોઈપણ વોલેટ પર પુનરાવર્તિત થતો નથી. આની મદદથી ગ્રાહક તેની વેલરીની સાચી અને સંપૂર્ણ કિંમત મેળવી શકે છે. આટલું જ નહીં, યારે જર પડે અથવા વેલરી રિમેક કરાવવાના સમયે, તેને સરળતાથી વેચી શકાય છે કારણ કે તે વેલરી પર બીઆઈએસ પ્રમાણપત્ર હોય છે. આ સિવાય જો કોઈ ગ્રાહકને વેલરીની શુદ્ધતાને લઈને કોઈ વિવાદ હોય તો તે સ્પેશિયલ આઈડી દ્રારા કાયદાકીય મદદ પણ લઈ શકે છે.ભારતમાં બીઆઈએસ હોલમાકિગ ૧૬ જૂન ૨૦૨૧થી લાગુ છે. કેટલાક વિસ્તારોમાં હોલમાકિગ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે વેલરીમાં બિઆઇએસ માર્ક, શુદ્ધતા ગ્રેડ અને આઈડી હોવું જરી છે. ગ્રાહકો બીઆઈએસ મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટનો ઉપયોગ કરીને આઈડી કોડ દ્રારા વેલરીની શુદ્ધતા અને પ્રમાણિકતા ચકાસી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech