રાજકોટ–ભાવનગર હાઇવે પર સરધાર નજીક ગેરેજ ધરાવતા યુવકે ગેરેજમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી.
બનાવની પ્રા વિગત મુજબ રાજકોટના બાડપર ગામે રહેતો અને સરધાર–ભુપગઢ રોડ ઉપર ખોડિયાર ગેરેજ ધરાવતો મયુર વિનુભાઈ કાવઠીયા (ઉ.વ.૨૩)ના યુવકે ગઈકાલે સાંજે પોતાના ગેરેજમાં જ દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવક બપોર સુધી જમવા ન આવતા મોટા ભાઈ દીપકે ફોન કરતા ફોન ઉપાડતો ન હોવાથી ગેરેજએ જોવા જતા નાનોભાઈ લટકતો હતો. આ જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યેા હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.આપઘાત કરનાર મયુર બે ભાઇમાં નાનો અને અપરણિત હતો તેને કયાં કારણોસર પગલું ભયુ એ અંગે પરિવારજનો પણ જાણતા નહોય પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech