ઘોઘાગેટ ચોકમાં યુવાન પર છરી વડે કરાયો હુમલા

  • September 11, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘોઘા ગેટ ચોક વિસ્તારમાં એક યુવાન પર છરીથી હુમલો થતાં આ બનાવના પગલે બારે દહેશતનો માહોલ ફેલાઇ ગયો હતો. અને રાહદારીઓના ટોળા ભેગા થઇ ગયા હતા.  બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને હુમલાખોર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. પ્રાપ્ત  માહિતી મુજબ સરફરાજ રસુલભાઈ જુનેજા (રહે.જુની માણેકવાડી) નામના યુવાન પર કોઇ શખ્સે છરીથી હુમલો કર્યો હતો. જાહેર રોડ પર છરીથી હુમલો થતાં આ બનાવે ભારે ચકચાર મચાવી હતી. છરીથી કરવામાં આવેલા હુમલામાં સરફરાજને ગંભીર પ્રકારની ઇંજા પહોંચતા તેને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  મિત્રો વચ્ચે ઝઘડો થતાં છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.   હુમલો કરનારા શખ્સ કેટલા હતા અને ક્યાં કારણસર આ શખ્સોએ છરીથી હુમલો કર્યો? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે અને તેના નિવેદન બાદ હુમલાખોર શખ્સોની વિગતો સપાટી પર આવશે. પોલીસ દ્વારા ફરાર થઇ ગયેલા શખ્સોની શોધોખોળ કરવામાં આવી રહી છે અને પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાશ ધરી છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application