જામનગરમાં મજુરીના પૈસાની ઉઘરાણી કરતા યુવાનને લમધાર્યો

  • October 18, 2023 11:33 AM 

જામનગરના સોનલનગર રોડ પર મજુરી કામના બાકી પીયાની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા 3 શખ્સોએ મરાઠી યુવાનને ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો.


જામનગરના સિઘ્ધાર્થનગર શેરી નં. 1માં રહેતા કૈલાશ ઇશ્ર્વરભાઇ તાયડે (ઉ.વ.19) નામના મરાઠી યુવાને આરોપી ચેતન પાસે મજુરી કામના પીયા બાકી હોય તેની ઉઘરાતી કરી હતી જેનો ખાર રાખી, ગત તા. 14ના આરોપીઓએ સોનલનગર રોડ પર ધોકા વડે કૈલાશને માથા અને શરીરના ભાગે માર મારી ઇજા કરી હતી તેમજ અન્ય એક આરોપીએ થપાટ અને ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.

કૈલાશભાઇએ આ અંગે ગઇકાલે સીટી-સીમાં જાગૃતીનગરમાં રહેતા ચેતન પ્રવિણ ચૌહાણ, ગોપાલ ઉર્ફે કારો માલપરા તથા કનૈયા બાવરી નામના 3 શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application