જામનગરના સોનલનગર રોડ પર મજુરી કામના બાકી પીયાની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા 3 શખ્સોએ મરાઠી યુવાનને ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
જામનગરના સિઘ્ધાર્થનગર શેરી નં. 1માં રહેતા કૈલાશ ઇશ્ર્વરભાઇ તાયડે (ઉ.વ.19) નામના મરાઠી યુવાને આરોપી ચેતન પાસે મજુરી કામના પીયા બાકી હોય તેની ઉઘરાતી કરી હતી જેનો ખાર રાખી, ગત તા. 14ના આરોપીઓએ સોનલનગર રોડ પર ધોકા વડે કૈલાશને માથા અને શરીરના ભાગે માર મારી ઇજા કરી હતી તેમજ અન્ય એક આરોપીએ થપાટ અને ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
કૈલાશભાઇએ આ અંગે ગઇકાલે સીટી-સીમાં જાગૃતીનગરમાં રહેતા ચેતન પ્રવિણ ચૌહાણ, ગોપાલ ઉર્ફે કારો માલપરા તથા કનૈયા બાવરી નામના 3 શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMગરમ અને ઉકળાટ વાળા વાતાવરણમાં પણ આ નાનકડા છોડ ઘરને રાખે છે ઠંડુ અને ફ્રેશ
July 05, 2024 11:21 PMભારતીય ક્રિકેટર્સ માટે ઝાડ પર ચડેલા ફેનને જોઈ સૌ કોઈ ચોકયા, ખેલાડીઓએ શખ્સને આપી સલાહ
July 05, 2024 11:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech