ભાવનગરમાં બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડનીંગ અંગે સેમિનાર યોજાયો

  • September 04, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાયબ નિયામક બાગાયત વિભાગની કચેરીના ઉપક્રમે આયોજિત ઞછઇઅગ ઇંઘછઝઈં-ઈઞકઝઞછઊ એટલે કે ઘર આંગણે શાકભાજીની ખેતી અને કિચન ગાર્ડનીંગ વિષય પર માહિતી સભર સેમિનાર યોજવામાં આવ્યો હતો. 
જો આપ આપના ઘર કે ફેક્ટરીના ફળિયા કે પાછળના ભાગે જગ્યા હોય કે ક્યારો કે વાડો હોય કે ખેતરાઉ જમીન હોય તો જે જગ્યામાં અલગ અલગ પ્રકારના શાકભાજી કે ફળ ફુલનું વાવેતર કરી અને ઓછી મહેનતે અને નજીવા ખર્ચે માવજત કરી સારી આવક ઉભી કરી શકો તે માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી તથા કેવી જમીન કે જગ્યામાં ક્યા શાકભાજી કે ફળ ફુલનું વાવેતર કેવી રીતે કરાય તે અંગે માહિત આપવામાં આવેલ હતી.  નાયબ બાગાયત નિયામકની કચેરીના એમ.બી. વાઘમશી અને તેમની ટીમ દ્વારા ’કિચન ગાર્ડન ના વિવિધ વિષયો જેવા કે માઇક્રોગ્રીન્સ, હાઇડ્રોપોનિકસ, સુપર ફુડ, એકઝોટિક વેજીટેબલ તથા વેજીટેબલ ગ્રાફટીંગ, પ્લગ નર્સરી પર માહિતી આપવામાં આવી તથા ખોળ - શાકભાજી બિયારણ કીટ આપવામાં આવી હતી. આ સેમિનારનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application