જામનગરમાં ઇલેકટ્રીક શોક લાગતા પરણિતાનો ભોગ લેવાયો

  • February 26, 2025 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઘ્ધી સિઘ્ધી સોસાયટીનો બનાવ : પરિવારમાં શોકનું મોજુ


જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતી એક પરણીતાને પોતાના ઘરે કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતા તેણીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


જામનગરના સાધના કોલોની પાછળ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતા બીબીબેન મોહસીનભાઇ દરજાદા (ઉ.વ.33) નામની પરણીતા ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક ઇલેકટ્રીક શોક લાગવાથી તેણીનું મૃત્યુ નિપજયુ હતું.


આ અંગે મોહસીનભાઇ દરજાદા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દ્વારા વિગતો જાણીને તપાસની કાર્યવાહી આગળ ધપાવી હતી. મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application