ઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર

  • May 23, 2025 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ચકચારી ઈસ્કોનબ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે વધુ ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. તથ્ય પટેલે પોતાની માતાની ગંભીર બીમારી અને કરોડરજ્જુની સર્જરી માટે પોતાની ઉપસ્થિતિ જરૂરી હોવાથી હંગામી જામીન માટે અરજી કરી હતી.


​​​​​​​હાઈકોર્ટે તથ્ય પટેલને તારીખ 26 મેના રોજ સવારે 6 વાગ્યે જેલમાંથી મુક્ત થઈને 29 મેના રોજ રાત્રે 9 વાગ્યે સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસકર્મી બંદોબસ્તમાં હાજર રહેશે. કોર્ટે એવી પણ શરત મૂકી છે કે જો 26 મેના રોજ તથ્યની માતાનું ઓપરેશન ન થાય તો તેણે તાત્કાલિક જેલમાં સરેન્ડર થવું પડશે.

ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલને અગાઉ પણ પોતાની માતાની સારવાર માટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેની માતાને હાઈ બ્લડપ્રેશર અને તાવ હોવાથી સર્જરી થઈ શકી નહોતી. તથ્ય પટેલ પર ઈસ્કોનબ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવી 9 લોકોને મોતને ઘાટ ઉતારવાનો આરોપ છે અને તે હાલ જેલમાં બંધ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application