બાલંભામાં રહેતા ગેરેજ સંચાલકનો બીમારીના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

  • April 20, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક યુવાને પોતાની ધ્રુજારીની બીમારી તેમજ માનસિક બીમારીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.


આ બનાવની વિગત એવી છે કે જોડિયાના બાલંભા ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા સચિન કૈલાસગીરી ગોસ્વામી નામના ૨૧ વર્ષના બાવાજી યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બાલંભા ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


આ બનાવ અંગે મૃતક ના પિતા કૈલાશગિરી નરોતમગીરી ગોસ્વામી એ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાન નાનપણથી જ હાથ અને પગની ધ્રુજારીની બીમારીથી પીડાતો હતો, જેના કારણે તેનાથી ગેરેજ નું કામ પણ થઈ શકતું ન હતું, તેમજ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારી પણ લાગુ પડી ગઈ હોવાથી તે બીમારીથી કંટાળી જઈ ગળાફાંષા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું તેના પિતા દ્વારા જાહેર કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application