પીપરટોડા પાસે વૃઘ્ધનો ભોગ લેનાર બાઇકચાલક સામે ફરીયાદ

  • March 18, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક અજાણ્યા વાહનની પાછળ અથડાયાનું ખુલ્યું

લાલપુરના પીપરટોડા ગામથી જામનગર જતા રોડ પર ચાર દિવસ પહેલા બે બાઇક વચ્ચે ટકકર થઇ હતી જેમાં વૃઘ્ધનું મૃત્યુ થયુ હતું, આ બનાવમાં બાઇકચાલક સામે ફરીયાદ થઇ છે, જયારે જામનગર નજીક વાહન અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નિપજયુ હતું જેમાં પણ બાઇક ચાલકે અજાણ્યા વાહનની પાછળ અથડાવી દેતા બનાવ બન્યાનું પોલીસ ચોપડે નોંધાયુ હતું.
મુળ ગોરખડી ગામના હાલ જામનગરના કોમલનગર વામ્બે રોડ પર રહેતા ચિરાગ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.૨૯) નામના યુવાને લાલપુર પોલીસ સ્ટેશનમાં સ્પ્લેન્ડર પ્લસ બાઇક નં. જીજે૧૦સીઆર-૨૮૮૦ના ચાલક સામે ફરીયાદ કરી હતી કે ફરીયાદીના પિતા મનસુખ મેપાભાઇ ચાવડા (ઉ.વ.૫૯) ગત તા. ૧૪ના રોજ પોતાનું બાઇક નં. જીજે૧૦સીકયુ-૪૪૩૩ લઇને જામનગરથી ગોરખડી ગામે જતા હતા.
પીપરટોડા પાસે પહોચતા સ્પ્લેન્ડર પ્લસના ચાલકે બેદરકારીથી પુરઝડપે ચલાવીને ફરીયાદીના પિતા મનસુખભાઇના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જયો હતો, જેમાં ગંભીર ઇજા થવાથી વૃઘ્ધનું મૃત્યુ થયુ હતું.
બીજા બનાવમાં જામનગર બાયપાસ પાસે તા. ૧૫ના રાત્રીના સુમારે આરોપી તથા ફરીયાદી મોટરસાયકલ નં. એમપી૪૫ઝેડએ-૯૫૨૫ પર જતા હતા દરમ્યાન લલેશ નામનો યુવાન બાઇક ચલાવતો હતો જેમણે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આગળ જતા કોઇ અજાણ્યા વાહનની પાછળ બાઇક અથડાવી દેતા અકસ્માત થતા પોતાને શરીરે ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હતું અને પાછળ બેઠેલા નાહરસીંગને ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી આ બનાવ અંગે હાલ જામનગર બાયપાસ પાસે રહેતા મુળ એમપીના ગડવાડા ગામના નાહરસીંગ જીતરાભાઇ ડામોર (ઉ.વ.૩૨) પંચ-બીમાં મોટરસાયકલ ચાલક લલેશ ગાંડુભાઇ ડામોરની સામે ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application