ખંભાળીયામાં એડવોકેટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો: ૧૩૧ બોટલ રકત થયું એકત્ર

  • December 30, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માતુશ્રીની પ્રથમ પુણ્યતિથીએ કરાયુ સરાહનીય કાર્ય

ખંભાળીયાના આહીર યુવા કાર્યકર તથા જાણીતા એડવોકેટ સંજયભાઇ આંબલીયાના માતુશ્રી પાબીબેન વેજાણંદભાઇ આંબલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ સદગતની શ્રદ્ધાંજલી આપવાના આશયથી અત્રે રાજપૂત સમાજની વાડી ખાતે મહા રકતદાન કેમ્પ તથા જનરલ હોસ્પિટલમાં દર્દીઓ અને જ‚રીયાતમંદ લોકોને ફુડ પેકેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રકતદાન કેમ્પમાં ૧૩૧ બોટલ રકત એકત્ર થયું હતું. જેમાં તમામ રકતદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.
એડવોકેટ સંજયભાઇના આ સેવાયજ્ઞમાં પુર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, પૂર્વ મંત્રી ડો. રણમલભાઇ વારોતરીયા, કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલભાઇ આંબલીયા, મામલતદાર વિક્રમ વ‚, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ મામલતદાર સાથે અહીંના ડોકટરો તથા વકીલો, જુદા જુદા ગામના સરપંચ ઉપરાંત પ્રસિઘ્ધ ભજનિક પરષોત્તમ પરી બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સેવા પ્રવૃતિ શહેરમાં આવકારદાયક બની રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application