રેલનગરના સિંધી વેપારીનું અકસ્માતમાં મોત

  • September 13, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીને કાલાવડ રોડ પર અકસ્માત નડતા તેમનું મોત થયું હતું.ટુ–વ્હીલર પર છૂટક સામાન લઈ નીકવાના વેપારીને માલ આપવા જતા હતા દરમિયાન છકડો રીક્ષા અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર વિસ્તારમાં શિવમ પાર્ક–૫ બ્લોક નંબર ૧૮ માં રહેતા મનોજકુમાર સુંદરદાસ ટેકવાણી (ઉ.વ ૫૪) નામના વેપારી ટુ–વ્હીલર લઈ કાલાવડના નિકાવા તરફ જઈ રહ્યા હતા ત્યારે વિરડાવાજડી ગામ પાસે શંકર ભગવાનના મંદિર નજીક છકડો રીક્ષાએ તેમને હડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે વેપારીનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વેપારી મનોજકુમાર બે ભાઈ એક બહેનના પરિવારમાં વચેટ હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ હોલસેલમાં હાર્ડવેરનો સામાન રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં આપવા જતા હતાં. સવારે નીકાવાના વેપારીને હાર્ડવેરનો સામાન આપવા જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવના પગલે સિંધી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો


દરરોજ ઇકો લઈ જતા પ્રથમ વખત ટુ–વ્હીલર પર ગયા

વેપારીના પરિવારજનો જણાવ્યું હતું કે, તેઓ રોજ સામાન ડિલિવરી કરવા માટે ઇકો લઇને જતા હતા પરંતુ આજરોજ પ્રથમ વખત તેઓ ટુ–વ્હીલરમાં સામાન ડિલિવરી કરવા માટે ગયા હતા અને આજરોજ તેમને અકસ્માત નડતા મોત થયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application