મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રોજ બરોજ નવા નવા ફણગા ફટતા રહે છે અને બન્ને દેશો એકબીજાને કોઈ પણ રીતે હંફાવવા મરણીયા બન્યા છે ત્યારે બીજી તરફ યુનાઇટેડ સ્ટેટસ, ઈરાન અને પ્રાદેશિક મધ્યસ્થીઓનું એક જૂથ સંભવિત ૪૫ દિવસના યુદ્ધવિરામની શરતો પર વાટાઘાટો કરી રહ્યું છે અને જો તેમને સફળતા મળશે તો યુદ્ધ થોડા સમય માટે વિરામ લઈ શકે અને તે દરમિયાન જો કોઈ નિષ્કર્ષ પર આ દેશો પહોચે તો યુદ્ધ અટકી પણ શકે. અહેવાલ મુજબ, ઈરાની મધ્યસ્થીઓ ૪૫ દિવસના યુદ્ધવિરામને સુરક્ષિત કરવા માટે અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રસ્તાવિત યુદ્ધવિરામને સંઘર્ષના કાયમી ઉકેલ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. મધ્યસ્થી કરનારા દેશો યુદ્ધવિરામ પ્રા
કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કાયમી શાંતિનો માર્ગ મોકળો કરે છે.
અહેવાલ મુજબ, વાટાઘાટોમાં સામેલ અમેરિકન, ઇઝરાયલી અને પ્રાદેશિક સૂત્રોએ આની પુષ્ટ્રિ કરી છે. સૂત્રો કહે છે કે આગામી ૪૮ કલાકમાં આંશિક કરાર થવાની શકયતા ખૂબ જ ઓછી છે. તેમ છતાં, આ પ્રયાસને અત્યતં મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે સંપૂર્ણ પાયે સંઘર્ષ ટાળવાની છેલ્લી તક હોઈ શકે છે.
આ છેલ્લા પ્રયાસને સંઘર્ષને ટાળવા માટે એકમાત્ર તક તરીકે જોવામાં આવે છે, જેમાં ઈરાની નાગરિક માળખા પર મોટા પાયે હત્પમલાઓ અને ગલ્ફ દેશોમાં ઊર્જા અને પાણીની સુવિધાઓ પર બદલો લેવાના હત્પમલાઓનો સમાવેશ થઈ શકે છે. જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતા વધવાનું જોખમ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application