ખંભાળિયા મહાજન વાડીમાં દુંદાળા દેવનો 56 ભોગ

  • September 09, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્નકૂટના અલભ્ય દર્શનનું આકર્ષણ

ખંભાળિયામાં જૂની લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાડિત પાડા યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં રવિવારે બીજા દિવસે અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા હતા. યુવક મંડળ દ્વારા આયોજિત અન્નકૂટ દર્શનમાં વિવિધ પ્રકારની વાનગીઓ, ઠંડા પીણા સાથે અહીં કરવામાં આવેલી સુંદર રંગોળી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આકર્ષક રોશની અને સંગીતસભર માહોલમાં આરતી તેમજ પૂજન-અર્ચન સાથે દર્શનનો લાભ મોટી સંખ્યામાં નગરજનોએ લીધો હતો. આજે સોમવારે સાંજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application