કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના ચાર દિવસ બાદ ભારતીય સેનાએ ચાર લોકોને જીવતા બચાવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. આ લોકો પડવેટ્ટી કુન્નુમાં ફસાયેલા હતા. આ પૈકી એક મહિલાને ચાલવામાં તકલીફ પડી રહી છે. મહિલાની સારવાર ચાલી રહી છે. ભૂસ્ખલનના ચોથા દિવસે, 40 બચાવ કર્મચારીઓની ટીમે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ચાર લોકોને બચાવ્યા હતા.
ભારતીય સેના વતી એવું કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન ચોકસાઇ અને સાવધાની સાથે હાથ ધરવામાં આવ્યું હતું, જેથી તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. બચાવ કામગીરીની સુવિધા માટે લાઇટ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કામગીરીની ઝડપ્ને ફસાયેલા લોકોને સમયસર બચાવી શકાયા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે 190 ફૂટ લાંબા બેઈલી બ્રિજનું નિમર્ણિ પૂર્ણ થતાં બચાવ કામગીરીને વેગ મળ્યો છે. આ પુલ દ્વારા, ખોદકામ અને એમ્બ્યુલન્સ સહિતના ભારે મશીનો મુંડક્કાઈ અને ચુરલમાલા સુધી પહોંચી શકશે. બચાવ કાર્યકરોની 40 ટીમો ભૂસ્ખલનથી પ્રભાવિત છ વિસ્તારોમાં અટ્ટમાલા અને અરનમાલા, મુંડક્કાઈ, પુંચીરીમટ્ટમ, વેલ્લારીમાલા ગામ, વેલ્લારીમાલામાં પીડિતોની શોધ કરશે. બચાવ કાર્યકતર્ઓિની ટીમમાં આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ , ડીએસજી, કોસ્ટ ગાર્ડ, નેવી અને એમઈજીના કર્મચારીઓ સાથે ત્રણ સ્થાનિકો અને વન વિભાગના એક કર્મચારીનો સમાવેશ થશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સિવાય ચલીયાર નદીમાં પણ પીડિતોની શોધ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ચલિયારના 40 કિલોમીટરના વિસ્તારમાં સ્થિત આઠ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને સ્થાનિક તરવૈયાઓ, દળો સાથે, નદીના કાંઠે ધોવાઇ ગયેલા અથવા ફસાયેલા મૃતદેહોની શોધ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech