વાયનાડમાં ચમત્કાર, ભૂસ્ખલનના 4 દિવસ બાદ દટાયેલા 4 લોકોને જીવતા બહાર કઢાયા

  • August 02, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના ચાર દિવસ બાદ ભારતીય સેનાએ ચાર લોકોને જીવતા બચાવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. આ લોકો પડવેટ્ટી કુન્નુમાં ફસાયેલા હતા. આ પૈકી એક મહિલાને ચાલવામાં તકલીફ પડી રહી છે. મહિલાની સારવાર ચાલી રહી છે. ભૂસ્ખલનના ચોથા દિવસે, 40 બચાવ કર્મચારીઓની ટીમે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ચાર લોકોને બચાવ્યા હતા.
ભારતીય સેના વતી એવું કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન ચોકસાઇ અને સાવધાની સાથે હાથ ધરવામાં આવ્યું હતું, જેથી તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. બચાવ કામગીરીની સુવિધા માટે લાઇટ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કામગીરીની ઝડપ્ને ફસાયેલા લોકોને સમયસર બચાવી શકાયા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે 190 ફૂટ લાંબા બેઈલી બ્રિજનું નિમર્ણિ પૂર્ણ થતાં બચાવ કામગીરીને વેગ મળ્યો છે. આ પુલ દ્વારા, ખોદકામ અને એમ્બ્યુલન્સ સહિતના ભારે મશીનો મુંડક્કાઈ અને ચુરલમાલા સુધી પહોંચી શકશે. બચાવ કાર્યકરોની 40 ટીમો ભૂસ્ખલનથી પ્રભાવિત છ વિસ્તારોમાં અટ્ટમાલા અને અરનમાલા, મુંડક્કાઈ, પુંચીરીમટ્ટમ, વેલ્લારીમાલા ગામ, વેલ્લારીમાલામાં પીડિતોની શોધ કરશે. બચાવ કાર્યકતર્ઓિની ટીમમાં આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ , ડીએસજી, કોસ્ટ ગાર્ડ, નેવી અને એમઈજીના કર્મચારીઓ સાથે ત્રણ સ્થાનિકો અને વન વિભાગના એક કર્મચારીનો સમાવેશ થશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સિવાય ચલીયાર નદીમાં પણ પીડિતોની શોધ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ચલિયારના 40 કિલોમીટરના વિસ્તારમાં સ્થિત આઠ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને સ્થાનિક તરવૈયાઓ, દળો સાથે, નદીના કાંઠે ધોવાઇ ગયેલા અથવા ફસાયેલા મૃતદેહોની શોધ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application