BREAKING NEWS

જૂનાગઢ- દેલવાડા- જૂનાગઢ સહિત ૪ હેરીટેજ ટ્રેનો 19 ડિસેમ્બરથી રદ

  • January 16, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવે દ્વારા કોઈપણ કારણ આપ્યા વિના ભાવનગર ડિવિઝન હેઠળ છુકછુક ગાડીના જમાનાની હેરિટેજ ટ્રેન તરીકે જાણીતી મીટર ગેજ (MG) સેક્શનની જુનાગઢ- દેલવાડા- જુનાગઢ અને જુનાગઢ- વેરાવળ- જુનાગઢ એમ જતી આવતી ચાર ટ્રેનો તા. ૧૯ જાન્યુઆરીથી બંધ કરીને આ ટ્રેનોના અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરીને કનેક્શન આપવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી ચાલતી ટ્રેન નંબર 52951/ 52952 જુનાગઢ– દેલવાડા– જુનાગઢ તેમજ ટ્રેન નંબર 52929/ 52930 જુનાગઢ– વેરાવળ– જુનાગઢ જાવન આવન કરતી બંને અપ ડાઉન ટ્રેનો બંધ કરવામાં આવી રહી છે. તેમાં મુસાફરોની સુવિધાનો દાવો આગળ કરીને, ટ્રેન નંબર 52951/ 52952 (જુનાગઢ– દેલવાડા– જુનાગઢ) રદ થવાને કારણે જેતલસરથી દેલવાડા જતા મુસાફરો માટે તલાલા સ્ટેશન પર અધિકૃત કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 52949/ 52950 (વેરાવળ– દેલવાડા– વેરાવળ) સાથે ટ્રેન નંબર 52946/ 52933 (જુનાગઢ– વેરાવળ– જુનાગઢ)નું અધિકૃત જોડાણ આપવામાં આવ્યું છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા અનુસાર તારીખ 19 જાન્યુ.થી શરૂ થનારા સુધારા મુજબ :- 1. ટ્રેન નંબર 52949 વેરાવળ– દેલવાડા મીટર ગેજ ટ્રેનનો, વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 08:50 વાગ્યે અને દેલવાડા સ્ટેશન પર આગમન સમય 12:30 વાગ્યે રહેશે.

2. ટ્રેન નંબર 52946 જુનાગઢ– વેરાવળ મીટર ગેજ ટ્રેન જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 06:15 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય સવારે 10:40 વાગ્યે રહેશે.

૩. ટ્રેન નંબર 52955 વેરાવળ– જુનાગઢ મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 06:15 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય સવારે 10:20 વાગ્યે રહેશે.

4. ટ્રેન નંબર 52933 વેરાવળ– જુનાગઢ મીટર ગેજ વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય બપોરે 14:45 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય સાંજે 18:55 વાગ્યે રહેશે.

5. ટ્રેન નંબર 52956 જુનાગઢ– વેરાવળ મીટર ગેજ ટ્રેન જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય સવારે 08:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય બપોરે 12:10 વાગ્યે રહેશે.

6. ટ્રેન નંબર 52950 દેલવાડા– વેરાવળ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશન પરથી પ્રસ્થાન સમય બપોરે 13:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય સાંજે 16:35 વાગ્યે રહેશે.

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું કે સુધારેલ સમયસૂચીનું વિગતવાર વર્ણન સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application