જિલ્લામાં કુલ ૬૦પ૩ પશુઓ છે ત્યારે સારી ચૂકવણી માટે ગૌસેવા ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને દરખાસ્ત મોકલી અપાઇ
જામનગર જીલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત એપ્રિલ-૨૦ર૪થી જુન-૨૦૨૪ના પ્રથમ હપ્તા માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડુત પોર્ટલ ઉપર કુલ ૩૦ સંસ્થાઓએ ઓનલાઈન અરજી કરી હતી. જિલ્લા કક્ષાની સમીક્ષા સમિતિ દ્વારા ૧૦૦૦થી ઓછી દૈનિક પશુઓની સંખ્યા ધરાવતી હોય તેવી કુલ ૨૭ સંસ્થાઓની ા. ૧.૬૫ કરોડની સહાય મંજુર કરી છે. જ્યારે ૩ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપુર્ણ ન કરતી હોવાથી નામંજુર કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં મુંગા જીવોની સેવા કરતી અને તેમની સાર સંભાળ રાખતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓમાં મુંગા જીવો માટે દવા, સારવાર, શેડ, ઘાસચારો, પીવાનું પાણી આમ તમામ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ સંસ્થાઓના નિભાવ ખર્ચ અને જાળવણી માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ ગાંધીતગર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મુકવામાં આવી છે. આઈ ખેડુત પોર્ટલ પર દર ૩ મહિને આ યોજના માટેના ઓનલાઈન ફોર્મ મુકવામાં આવે છે. પ્રતિદિન ા.૩૦ના લેખે લાભાર્થીઓને ચુકવણી કરવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લામાંથી કુલ ૨૭ સંસ્થાઓના ૬૦૫૩ પશુઓ માટે કુલ ા.૧,૬૫,૨૪,૬૯૦ની સહાય મંજુર કરીને ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech