પાકિસ્તાનના કરાચીમાં આવેલી માલીર ડિસ્ટ્રિક્ટ જેલમાંથી કુલ 216 કેદીઓ ભાગી ગયા હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં સતત હળવા ભૂકંપના આંચકાને કારણે સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે કેદીઓ ભાગી ગયા હતા. ઘણા કેદીઓ પહેલાથી જ તેમની બેરેકની બહાર હતા, તેમણે આ અંધાધૂંધીનો લાભ લીધો અને જેલ સ્ટાફ પર દબાણ બનાવ્યું. આ પછી હિંસક અથડામણ સર્જાઈ.
જોકે, આ 216 કેદીઓમાંથી એકનું મોત થયું જયારે 80 કેદીઓ પકડાયા. આ દરમિયાન, પાંચ સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા.
રહેણાંક વિસ્તારોમાં ગભરાટ ફેલાયો
જેલ પરિસરની અંદર અને આસપાસ ભારે ગોળીબારના સમાચાર છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસ અને રેન્જર્સે આ વિસ્તારને ઘેરી લેતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક માર્ગો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા, એસએસપી માલિર કાશિફ આફતાબ અબ્બાસીએ જણાવ્યું હતું કે, પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી થોડીવારમાં જેલમાં પહોંચી ગઈ અને નજીકના વસાહતો, હાઇવે અને ગામડાઓને સીલ કરી દીધા. માલિરની મસ્જિદોમાંથી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં ભાગી ગયેલા કેદીઓને પકડવામાં જાહેર સહયોગની અપીલ કરવામાં આવી હતી.
સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી
ડીઆઈજી જેલ હસન સાહેતુ અને ડાયરેક્ટર જનરલ રેન્જર્સ સિંધ મેજર જનરલ મુહમ્મદ શમરેઝે પણ જેલની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
અહેવાલ મુજબ, ભૂકંપ આવ્યો ત્યારે સર્કલ નંબર 4 અને 5 ના 600 થી વધુ કેદીઓ તેમના બેરેકની બહાર બેઠા હતા. ત્યારબાદ થયેલી અંધાધૂંધી ટૂંક સમયમાં રમખાણો જેવી પરિસ્થિતિ તરફ દોરી ગઈ, અધિકારીઓના જણાવ્યા અનુસાર જેલ અખાડામાં ફેરવાઈ ગઈ.
પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા
નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં, જેલ અધિકારીઓએ ગોળીબાર કર્યો. એન્કાઉન્ટર દરમિયાન, બે ફ્રન્ટિયર કોર્પ્સ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા. એક કેદીનું મૃત્યુ થયું અને ત્રણ અન્ય ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.સિંધના ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરે જેલની કોઈપણ દિવાલમાં ઘૂસણખોરી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : બેડેશ્રવરમાં પ્રેમસબંધનો ખાર રાખીને યુવાન પર હુમલો
June 05, 2025 12:14 PMજામનગર: એસઆરપી કેમ્પ ચેલામા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી
June 05, 2025 12:06 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૬ જૂનના રોજ યોજાશે
June 05, 2025 12:05 PMચૂંટણીમાં દિવ્યાંગજનોની સહભાગીતા વધારવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા બેઠક યોજાઈ
June 05, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech