સુખરામનગરમાં ૧૧ મહિના પહેલા પરણેલી નવોઢાનો આપઘાત

  • January 29, 2024 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આપઘાતના બનાવમાં વધુ એક ઉમેરો થયો છે. હત્પડકો ચોકડી નજીક સુખરામનગરમાં રહેતી પરિણીતાએ ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતકના લ થયાને ૧૧ મહિના જેટલો જ સમય થયો હતો. બનાવની જાણ ભકિતનગર પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી.

અપમૃત્યુના બનાવની વિગત મુજબ હત્પડકો ચોકડી નજીક ચારણવાડી પાસે સુખરામનગર–૭માં રહેતી વર્ષાબેન મયુરભાઈ લાંબા (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ઉપર મમાં પંખામાં સાડી બાંધી ગળેટુંપો ખાઈ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો.
મૃત્યુ પામનાર પરિણીતાના લ ૧૧ મહિના પહેલા જ રાધનપુર પંથકમાં થયા હતા અને છેલ્લા એકાદ મહિનાથી સુખરામનગરમાં તેના ભાઈના ઘરે પતિ સાથે રહેતી હતી, અને પતિ ભાઈની કાપડની દુકાનમાં જ કામ કરતા હતા સવારે પતિ દુકાને ગયા બાદ મોટો ભાઈ સહિતના નીચે હતા ત્યારે પગલું ભરી લીધું હતું. બનાવના પગલે ભકિતનગર પોલીસે જરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application