વધારાનો લોડ ગેરકાયદેસરનું કૃત્ય હોઈ વિધુત ગ્રાહક રકમ ભરવા જવાબદાર છે: પુરવણી બિલ રદ કરવાનો દાવો ફગાવાયો
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં કારખાનું ધરાવતા એક ઉદ્યોગકાર ના કારખાનામાં ચેકિંગ દરમિયાન વધુ વપરાશ ધ્યાન માં આવતાં કારખાનેદારને ૧.૩૫ લાખનું પુરવણી બિલ અપાયું હતું, જે પુરવણી બિલ રદ કરાવવા માટે નો દાવો અદાલતે ફગાવી દીધો છે, અને કારખાનેદારને તે રકમ ભરપાઈ કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેશની હકીક્ત એવી છે કે શંકરટેકરી ઉદ્યોગ નગરમાં કારખાનું ધરાવતા મે. ખોડીયાર પ્રોડક્ટસ ના માલિક કાનજી દેવરાજ પટેલના કારખાને વિદ્યુત બોર્ડનાં અધિકારીઓએ વિજ કનેક્શનનું ચેકીંગ કરતા ગ્રાહક ૨૦ હોર્સ પાવરનો વધારાનો ગેરકાયદેસર મંજુરી વગર અનઓથોરાઇઝડ લોડ વાપરતા હોવાનું માલુમ પડ્યું હતું,
જેથી વિદ્યુત ગ્રાહકે માલ પ્રેકટીસ કરી વિદ્યુત બોર્ડના નિયમોનો ભંગ કરેલ હોઈ, રૂા. ૧,૩૫,૪૧૩.૦૨ પૈસાનું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું, તે સામે ગ્રાહકે એપેલેટ ઓથોરીટીમાં અપીલ કરી હતી. જેનો બચાવ કરીને જણાવ્યું હતું, કે “ અમોએ વધારાની મોટરોનો વપરાશ કરેલો નથી, કે વધુ હોર્સપાવર વાપરેલા નથી.
પરંતુ ગ્રાહકની અપીલ અમાન્ય ઠરાવી રકમ ભરવા જવાબદાર હોવાનું ઠરાવ્યું હતું. જે સામે વિદ્યુત ગ્રાહકે અદાલતમાં વિજ કંપની સામે દાવો કરી એપલેટ ઓથોરીટીનો નિર્ણય તથા પુરવણી બીલની રકમ ગેરકાયદેસરની હોઇ ભરેલી રકમ રીફંડ આપવા દાવો કર્યો હતો. જે દાવો લોઅર કોર્ટે નામંજુર કર્યો હતો.
તે સામે વિદ્યુત ગ્રાહકે કોર્ટમાં અપીલ કરી હતી, અને પ્રતિવાદી વિધુત બોર્ડનાં વકીલની વિસ્તૃત દલીલ તથા વિદ્યુત બોર્ડના નિયમો - અધિનિયમો વિગેરે ધ્યાને લઈને કોર્ટે વિદ્યુત ગ્રાહકની અપીલ ખર્ચ સહિત નામંજુર કરી છે, અને રકમ ભરવા હુકમ કર્યો છે. આ કેસમાં વિધુત કંપની વતી વકીલ જે. જે. પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech