ચોપાટી પર આખલા યુદ્ધને કારણે વાહનોને થયું નુકસાન

  • April 21, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરની ચોપાટી પર રવિવારે રાત્રે વિશાળ સંખ્યામાં શહેરીજનો ફરવા માટે ઉમટી પડ્યા હતા,ત્યારે આખલા યુદ્ધ સર્જાયું હતુ અને કેટલાક નંદીઓ દોડતા-દોડતા વાહનો સાથે અથડાયા હતા,જેમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર દરરોજ પશુઓ પકડતા હોવાનો દાવો કરીને આંકડા જાહેર કરે છે પરંતુ વાસ્તવિક રીતે શહેરભરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે તેમ જણાવીને લોકોએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને તેમની ટીમ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application