અનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી

  • April 24, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. ગામમાં ૩૦ વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા અને રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી તથા ગોંડલ નાગરિક બેંકના એમડી તરીકેની જવાબદારી નિભાવતા પ્રફુલભાઈ ટોળીયાના સુપુત્ર ચિ. લેરીશ ના લગ્ન પ્રસંગે ગીર ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ભેટ સોગાત તરીકે એક ગીર ઓલાદની છ માસની વાછરડી (ગાય) આપવામાં આવી છે. આ ઝડપથી વિકસતા સમયમાં નોંધનીય બાબત છે અને જો આ રીતે દરેક લગ્ન પ્રસંગ વખતે વર્ષો પહેલાની પ્રણાલીને જીવંત કરવાના આશયથી વાછરડીઓનું કે ગાય માતાનું દાન કરવામાં આવે તો જે આ દેશ એક સમયે દૂધ ઘીની નદીઓ વહેતી હતી તેવું કહેવામાં આવતું તે દિશામાં ગતિ કરે. પ્રફુલભાઈ ટોળીયા પોતે પણ ગીર ગાય નું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલીયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે તે અંતર્ગત  લેરીશ અને સ્નેહાના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં ગીર વાછરડીનું દાન કર્યું તે બદલ ટોળીયા પરિવાર પણ હર્ષની લાગણી ધરાવે છે તેવું પ્રફુલભાઇ ટોળીયાએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application