સાંજે નગર કીર્તન શોભાયાત્રા: રવિવારે યોજાયો આબા મનોરથ
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે અખંડ હરીનામ સંકિર્તનને ૨૧ હજાર દિવસો પૂર્ણ થતાં હોય, આ નિમીત્તે તા.૫ જૂનથી ૯ જૂન દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૫ જૂન ગુરૂવારથી ૯ જૂન સોમવાર સુધી એટલે કે ૫ દિવસ દરમ્યાન રોજ રાત્રીના ૧૦ થી ૧૨ દરમ્યાન વિશેષ રામધૂન યોજાઈ, તા. ૬ જૂન તથા ૭ જૂનના રોજ સાંજે ૬ વાગ્યે પાથાત્મક કાર્યક્રમ, તા. ૭ જૂન રવિવારે સાંજે ૬ વાગ્યે આંબા મનોરથ યોજાયો હતો.
આજે સોમવારે તા.૯ જૂનના રોજ ૨૧ હજાર દિવસ અખંડ રામધૂનને પૂર્ણ થશે, આ નિમીત્તે સવારે ૫ વાગ્યે પ્રભાતફેરી, અભિષેક પૂજન તથા આરતી સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન પુષ્પશૃંગાર દર્શન યોજાયા હતા, સાંજે ૬ વાગ્યે નગર કિર્તન (શોભાયાત્રા) સાંજે ૬.૩૦ કલાકે નિકળશે. આ પાંચ દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ ભક્તજનોએ આસ્થાપૂર્વક લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech