36 કલાકમાં 1500 કિમીનું અંતર કાપી 15 વર્ષના સગીરને ભક્તિનગર પોલીસે શોધી કાઢ્યો, જાણો સગીર શું કામ ઘરેથી ભાગી ગયો'તો?

  • June 09, 2025 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ પ્રજાનો મિત્રના સૂત્રને ભકિતનગર પોલીસે સાર્થક કરી દેખાડયું છે. ફુલના વેપારીનો ૧૫ વર્ષનો પુત્ર ઘર છોડી ચાલ્યો ગયો હતો.જે અંગે જાણ કરાતા પોલીસે બનાવની ગંભીરતા જાણી ૩૬ કલાકમાં ૧૫ કિ.મી.નું અંતર કાપી દિલ્હીથી બાળકને હેમખેમ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.


સગીર ઇ-બાઇક લઇ સુરેન્દ્રનગર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 15 વર્ષના સગીરના અપહરણની ફરિયાદ તેના વેપારી પિતાએ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇ ભકિતનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.જે.ગોહિલ અને તેની ટીમે ટેકનિકલ અને હ્યુમન્સ સોર્સિસના આધારે તપાસ કરતા સગીર ઇ-બાઇક લઇ સુરેન્દ્રનગર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


તપાસ કરતા બાળક દિલ્હી તરફ ગયો હોવાનું જાણવા મળ્યું 

સુરેન્દ્રનગર તપાસ કરતા અહીં સગીર મળ્યો ન હતો. બાદ સગીર મહેસાણા અમદાવાદ તરફ હોવાનો જાણવા મળ્યું હતું. જે બાદ મહેસાણા ખાતે તપાસ કરતા સગીરની ત્યાંથી પણ ભાળ મળી ન હતી. જે બાદ અમદાવાદ રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન ખાતે બાળકની તપાસ કરતા બાળક દિલ્હી તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. 


36 કલાકમાં સગીરને શોધી કાઢી વાલીને પરત સોંપ્યો

આથી પોલીસ કોન્સ્ટેબલ મહાદેવસિંહ મહોબ્બતસિંહ, પ્રકાશભાઈ લાલજીભાઈએ દિલ્લીમાં ન્યુ દિલ્હી એરપોર્ટ, મેટ્રો રેલવે સ્ટેશન, આજુબાજુની હોટલમાં બાળક બાબતે તપાસ કરતા બાળક પરગંજ વિસ્તારમાં હોવાની માહિતી મળતા સ્થાનિક ટેક્સી ચાલક તથા રીક્ષા ચાલકોને સગીર અંગે પૂછતા નોઈડા વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસની ટીમે આગળ તપાસ કરતાં સગીર નોઈડા મેટ્રો રેલવે સ્ટેશન ખાતે થી મળી આવ્યો હતો. પોલીસે ટેકનીકલ તથા હ્યુમન્સ સોર્સિસથી તપાસ કરી 1500 કિલોમીટરનું અંતર કાપી માત્ર 36 કલાકમાં સગીરને શોધી કાઢી વાલીને પરત સોંપ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application