જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, 7 દિવસ આઇસીયુમાં રખાયા, ડોક્ટરે આપી આ સલાહ

  • February 11, 2025 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મહાકુંભમાં સતત ધૂળ ઉડતા ફેફસામાં ઈન્ફેક્શન થતા ઈન્દ્રભારતી બાપુને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ઈન્દ્રભારતી બાપુને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. 


15 દિવસ આરામ કરવાની સલાહ
ઈન્દ્રભારતી બાપુએ ઓડિયો મેસેજ જાહેર કર્યો છે.  જેમાં તેમણે કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર છે. તબીબોએ તેમને 15 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.


ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી
ઇન્દ્રભારતી બાપુએ  ઓડિયો મેસેજ દ્વારા તબિયત અંગે જાણ કરી છે.  પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત બગડતા સાત દિવસ ICU માં દાખલ થયા હતા.  હવે તબિયતમાં સુધાર થયો હોવાનું ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે.  હાલ 15 દિવસ સુધી આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી છે.  ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application