મોટા મુંજીયાસરની ગ્રામ પંચાયતને તાળાં મારવા સરપંચનો નિર્ણય

  • April 29, 2025 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે. જેમાં પૂર્વ સરપચં દ્રારા યોગ્ય રીતે ડેડ સ્ટોક નવા સભ્યોને સોપવામાં આવેલ ન હોવાની  ઉચ્ચ અધિકારીને રજૂઆત છતાં કોઈ નિર્ણય ન થતા આખરે ગ્રામ પંચાયતને તાળા મારવાનો નિર્ણય કર્યેા છે.
મળેલી વિગતો મુજબ મોટા મુંજીયાસર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપચં રમેશભાઈ સતાસિયા અને હાલના સરપચં જયસુખભાઈ ખેતાણી વચ્ચે ડેડ સ્ટોક બાબતે ચાલી રહેલી વહીવટી લડાઈ માં તાલુકા જિલ્લ ાની કચેરીઓ દ્રારા યોગ્ય નિર્ણય કરવામાં ન આવતા આખરે સરપચં જયસુખભાઈ ખેતાણીએ જિલ્લ ા વિકાસ અધિકારીને પત્ર પાઠવી ગ્રામ પંચાયતને તાળું મારી દેવાની જાહેરાત કરી છે. તેમણે કરેલ રજૂઆતમાં જણાવેલ છે કે ગામમાં અનેક કામોને ખર્ચ કરી દેવામાં આવેલ છે પરંતુ હકીકતમાં સ્થળ પર  કોઈ કામ બતાવેલ છે. ગામથી ખોડીયાર મંદિર જવા માટે રસ્તાનો ખર્ચ કરેલ છે, પરંતુ હકીકતમાં આવો રસ્તો બનેલ નથી. આ ઉપરાંત લોખંડની પાઇપ લાઇન તેમજ કેબલ વગેરેનો ખર્ચ પણ બતાવેલ છે પરંતુ હકીકતમાં એવો કોઈ ખર્ચ થયેલ નથી તેથી આ કોઈ બાબતો ડેડ સ્ટોકમાં ચડાવવામાં આવેલ નથી. આ બાબતોને લઈ છેલ્લ ા ત્રણ વર્ષથી તાલુકા તથા જિલ્લ ા કચેરીઓને રજૂઆત કરવા છતાં તેમના દ્રારા કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે ગ્રામ પંચાયતનો વહીવટ બધં કરવા નિર્ણય કરેલ છે. સરપચં દ્રારા આવી રીતે ગ્રામ પંચાયતને તાળા મારવામાં આવે તો આ સરકારી કચેરીને તાળા મારવા બદલ સરકાર તેમના વિદ્ધ ફરિયાદ દાખલ કરશે કે ડેડ સ્ટોકના કૌભાંડ બાબતે પગલા લેશે તે જોવાનું રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application